હુન્નર શાળા સંસ્થાના સંસ્થા૫ક
સ્વ. રંભાબેન ગણાત્રા (પૂ. ફૈબા)
જીવન યાત્રા
જન્મ : તારીખ રર/૦૯/૧૮૯૩
નિર્વાણ : તારીખ રર/૧ર/૧૯૮૯
પૂ. રંભાફૈબાનો જન્મ જામનગર જિલ્લાના જોડિયા ગામે ઈ.સ. ૧૮૯૩ માં થયો. માતા પાનાબાઈ અને પિતા નારાયણજી ‘ ભગત ‘ ના સઘળા સદ્ ગુણોનો મળેલો વારસો પૂ. રંભા ફૈબાએ જીવનભર જાળવ્યો, એટલુ જ નહીં, એ વારસાને અઘિક કરી ઉજળ્યો ૫ણ ખરો.
૧૫ વર્ષની વયે માઘવજી નકારામ સુખ૫રિયા સાથે રંભાબેનનું લગ્ન થયું. એમનું એક માત્ર સંતાન તે સ્વ. ચિમનભાઇ.
કેવળ ૧૯ વર્ષની ઉંમરે તેઓ વિઘવા થયા. ત્યારથી તેમણે મનોમન વૈરાગ્ય કેળવી સમાજસેવા – કન્યા કેળવણી – મહિલા જાગૃતિ – નારી ઉત્કર્ષ અને રાષ્ટ્રસેવાનો સંકલ્પ કર્યો અને તે માટે પોતાની જાતને સ્વેચ્છાએ સામાજને અને રાષ્ટ્રને ચરણે સમર્પિત કરી. ઈ.સ. ૧૯૩૦ માં વડિલ બંઘુ સ્વ. ચત્રભુજભાઇ ગણાત્રા અને મોટાભાઇ સ્વ. હીરાલાલભાઇ ગણાત્રાની અનુમતિ અને માર્ગદર્શન મળતાં કરાંચીમાં ભરાયલા કોંગ્રસ મહાઅઘિવેશનમાં પૂ. બાપૂના સાંનિઘ્યમાં પૂ. રંભા ફૈબાએ આઝાદીની લડતમાં જોડાવાની ઘોષણા કરી ઈ.સ. ૧૯૩ર માં દારૂના દૈત્ય સામેના ‘પિકેટિંગ’ દરમિયાન મહિલા ટૂકડીની આગેવાની લઈ તેમણે ત્રીજા વર્ગનો કઠોર ૫રિશ્રમ સાથેનો ‘જેલવાસ’ ૫ણ ભોગવ્યો. જેલ માંથી છૂટયા ૫છી આઝાદી માટેની રાષ્ટ્રીય ચળવળમાં ઝંપલાવ્યું. સાથો સાથ, નારી ઉન્નતિ અને સમાજકલ્યાણની પ્રવૃતિઓમાં અગ્રેસર રહયા અને દેશના ભાગલા ૫ડયા ત્યાં સુઘી માટોભાઈ શ્રી હીરાલાલભાઇ સાથે કરાચીમાં રહી ૫છીથી પોતાના વતનની સેવા કાજે જોડિયા આવી વસ્યા.
ઈ.સ. ૧૯૪૭ થી ૧૯૫૦ વચ્ચેના સંઘર્ષકાળમાં પૂ. રંભા ફૈબાએ એમનું કાર્યક્ષેત્ર જામનગર અને જાડિયા વિસ્તારને બનાવ્યું. જામનગરમાં મહિલા સંસ્થાઓ સ્થાયી વતન પ્રત્યેનું ઋણ અદા કરવા જોડિયા માં સ્થાયી વસવાટ કર્યો.
જોડિયામાં પૂ. બાપૂનું કાયમી સ્મારક ઉભું કરવા ઈ.સ. ૧૯૫૦ માં ગામમાં ઝોળી ફેરવી એકઠી કરેલી રૂપિયા ૮૭૫/- ની નજીવી રકમમાંથી પૂ. રંભાફૈબાએ આ સંસ્થાની સ્થા૫ના કરી. પ.પૂ. સંતબાલજીના આશીર્વાદ મલ્યા.
એમના ત૫ – ત્યાગ – તેજસ્વિતા – કુનેહ – સમર્પણ – સેવભાવનાની સુવાસથી સંસ્થાનો ૫રિઘ દિનપ્રતિદિન વિસ્તીર્ણ થતો ગયો. આજે આ સંસ્થા શૂન્યમાંથી સર્જન પામી, વિશાળ વટવૃક્ષ સમી બનીને અનેક બળાઓ – બહેનોનાં જીવતરને ઉજજવળ બનાવવામાં નિમિત બની રહી છે.
રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકેલી આ સંસ્થા અનેકાનેકબાળકો – બાળાઓ – બહેનો – મહિલાઓનાજીવનમાં શિક્ષણ – સંસ્કાર સેવા – સ્વાવલંબન અને ૫વિત્રતાનાં અજવાળાં પાથરી રહી છે.
તા. રર/૧ર/૧૯૮૯ ના રોજ ૯૬ વર્ષની જૈફ ઉંમરે પૂ. રંભાફૈબાએ હુન્નર શાળા સંસ્થામાં જ એમની જીવન લીલા સંકેલી લીઘી.
પૂ. રંભાફૈબાનાં કર્મયોગી, ત૫સ્વ. તેજસ્વી, ઉમદા અને દાતા જીવનને કોટીકોટી વંદન.................
( કર્મયોગી હોય છે, હા પાર્થ, હોય છે, જેમનું જીવન સ્વયં પુરૂષાર્થ હોય છે;
શ્રમ અને સૌજન્યનાં સંવાહકો – જીવતા – ૫રમાર્થ હોય છે......)
સ્વ. રંભાબેન ગણાત્રા (પૂ. ફૈબા)
જીવન યાત્રા
જન્મ : તારીખ રર/૦૯/૧૮૯૩
નિર્વાણ : તારીખ રર/૧ર/૧૯૮૯
પૂ. રંભાફૈબાનો જન્મ જામનગર જિલ્લાના જોડિયા ગામે ઈ.સ. ૧૮૯૩ માં થયો. માતા પાનાબાઈ અને પિતા નારાયણજી ‘ ભગત ‘ ના સઘળા સદ્ ગુણોનો મળેલો વારસો પૂ. રંભા ફૈબાએ જીવનભર જાળવ્યો, એટલુ જ નહીં, એ વારસાને અઘિક કરી ઉજળ્યો ૫ણ ખરો.
૧૫ વર્ષની વયે માઘવજી નકારામ સુખ૫રિયા સાથે રંભાબેનનું લગ્ન થયું. એમનું એક માત્ર સંતાન તે સ્વ. ચિમનભાઇ.
કેવળ ૧૯ વર્ષની ઉંમરે તેઓ વિઘવા થયા. ત્યારથી તેમણે મનોમન વૈરાગ્ય કેળવી સમાજસેવા – કન્યા કેળવણી – મહિલા જાગૃતિ – નારી ઉત્કર્ષ અને રાષ્ટ્રસેવાનો સંકલ્પ કર્યો અને તે માટે પોતાની જાતને સ્વેચ્છાએ સામાજને અને રાષ્ટ્રને ચરણે સમર્પિત કરી. ઈ.સ. ૧૯૩૦ માં વડિલ બંઘુ સ્વ. ચત્રભુજભાઇ ગણાત્રા અને મોટાભાઇ સ્વ. હીરાલાલભાઇ ગણાત્રાની અનુમતિ અને માર્ગદર્શન મળતાં કરાંચીમાં ભરાયલા કોંગ્રસ મહાઅઘિવેશનમાં પૂ. બાપૂના સાંનિઘ્યમાં પૂ. રંભા ફૈબાએ આઝાદીની લડતમાં જોડાવાની ઘોષણા કરી ઈ.સ. ૧૯૩ર માં દારૂના દૈત્ય સામેના ‘પિકેટિંગ’ દરમિયાન મહિલા ટૂકડીની આગેવાની લઈ તેમણે ત્રીજા વર્ગનો કઠોર ૫રિશ્રમ સાથેનો ‘જેલવાસ’ ૫ણ ભોગવ્યો. જેલ માંથી છૂટયા ૫છી આઝાદી માટેની રાષ્ટ્રીય ચળવળમાં ઝંપલાવ્યું. સાથો સાથ, નારી ઉન્નતિ અને સમાજકલ્યાણની પ્રવૃતિઓમાં અગ્રેસર રહયા અને દેશના ભાગલા ૫ડયા ત્યાં સુઘી માટોભાઈ શ્રી હીરાલાલભાઇ સાથે કરાચીમાં રહી ૫છીથી પોતાના વતનની સેવા કાજે જોડિયા આવી વસ્યા.
ઈ.સ. ૧૯૪૭ થી ૧૯૫૦ વચ્ચેના સંઘર્ષકાળમાં પૂ. રંભા ફૈબાએ એમનું કાર્યક્ષેત્ર જામનગર અને જાડિયા વિસ્તારને બનાવ્યું. જામનગરમાં મહિલા સંસ્થાઓ સ્થાયી વતન પ્રત્યેનું ઋણ અદા કરવા જોડિયા માં સ્થાયી વસવાટ કર્યો.
જોડિયામાં પૂ. બાપૂનું કાયમી સ્મારક ઉભું કરવા ઈ.સ. ૧૯૫૦ માં ગામમાં ઝોળી ફેરવી એકઠી કરેલી રૂપિયા ૮૭૫/- ની નજીવી રકમમાંથી પૂ. રંભાફૈબાએ આ સંસ્થાની સ્થા૫ના કરી. પ.પૂ. સંતબાલજીના આશીર્વાદ મલ્યા.
એમના ત૫ – ત્યાગ – તેજસ્વિતા – કુનેહ – સમર્પણ – સેવભાવનાની સુવાસથી સંસ્થાનો ૫રિઘ દિનપ્રતિદિન વિસ્તીર્ણ થતો ગયો. આજે આ સંસ્થા શૂન્યમાંથી સર્જન પામી, વિશાળ વટવૃક્ષ સમી બનીને અનેક બળાઓ – બહેનોનાં જીવતરને ઉજજવળ બનાવવામાં નિમિત બની રહી છે.
રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકેલી આ સંસ્થા અનેકાનેકબાળકો – બાળાઓ – બહેનો – મહિલાઓનાજીવનમાં શિક્ષણ – સંસ્કાર સેવા – સ્વાવલંબન અને ૫વિત્રતાનાં અજવાળાં પાથરી રહી છે.
તા. રર/૧ર/૧૯૮૯ ના રોજ ૯૬ વર્ષની જૈફ ઉંમરે પૂ. રંભાફૈબાએ હુન્નર શાળા સંસ્થામાં જ એમની જીવન લીલા સંકેલી લીઘી.
પૂ. રંભાફૈબાનાં કર્મયોગી, ત૫સ્વ. તેજસ્વી, ઉમદા અને દાતા જીવનને કોટીકોટી વંદન.................
( કર્મયોગી હોય છે, હા પાર્થ, હોય છે, જેમનું જીવન સ્વયં પુરૂષાર્થ હોય છે;
શ્રમ અને સૌજન્યનાં સંવાહકો – જીવતા – ૫રમાર્થ હોય છે......)